ગ્રંથાલયમાં સભ્યપદ મેળવવા માટેના નિયમો


  • સામાન્ય સભ્યપદ
  1. સભ્યપદનો સમયગાળો એક વર્ષનો રહેશે. (એપ્રિલ થી માર્ચ, નાણાકીય વર્ષ મુજબ).
  2. સભ્યપદ મેળવવા માટે સૌપ્રથમ રૂ. ૫૦૦ (જેમાં ૨૦૦ રૂ. લવાજમ, ૨૦૦ રૂ. ડીપોઝીટ(પરત મળવા પાત્ર), ૧૦૦ રૂ. પ્રવેશ ફી)ભરવાની રહેશે.
  3. દરેક સભ્યને એક પુસ્તક ૨૦ દિવસ માટે ઇસ્યુ થશે.
  4. પુસ્તક પરતમાં ૨૦ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ.૨ (બે) દંડ ભરવાનો રહેશે.
  5. એક પુસ્તક સાથે એક સામાયિક પણ ઇસ્યુ થઇ શકશે જેનો સમયગાળો ૭ દિવસનો રહેશે.
  6. સામાયિક પરતમાં ૭ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨ (બે) દંડ ભરવાનો રહેશે.
  7. સામાયિકનો દિવાળી અંક પણ માત્ર 7 દિવસ માટે જ ઇસ્યુ થઇ શકશે.
  8. સભ્યપદ ચાલુ રાખવા માટે દર વર્ષે એપ્રિલ મહિનામાં લવાજમ ભરવાનું રહેશે.
  9. સભ્યપદવર્ષના અંતે માત્ર ૩૧મી માર્ચ સુધીમાં જ રદ કરવી શકાશે, તે પહેલા કે પછી રદ કરાવવા માટે સૌપ્રથમ લવાજમ ભરવાનું રહેશે, ત્યારબાદ જ રદ કરાવી શકાશે.
  • આજીવન સભ્યપદ
  1. સભ્યપદનો સમયગાળો દસ વર્ષનો રહેશે.
  2. સભ્યપદ મેળવવા માટે સૌપ્રથમ રૂ. ૨૫૦૦ ભરવાના રહેશે.
  3. દરેક સભ્યને ચાર પુસ્તક 30 દિવસ માટે ઇસ્યુ થશે.
  4. પુસ્તક પરતમાં 3૦ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨(બે) દંડ ભરવાનો રહેશે.
  5. પુસ્તક સાથે એક સામાયિક પણ ઇસ્યુ થઇ શકશે જેનો સમયગાળો ૭ દિવસનો રહેશે.
  6. સામાયિક પરતમાં ૭ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨(બે) દંડ ભરવાનો રહેશે.
  7. સામાયિકનો દિવાળી અંક પણ માત્ર 7 દિવસ માટે જ ઇસ્યુ થઇ શકશે.
  8. સભ્યપદ વર્ષના અંતે માત્ર માર્ચ મહિનામાં જ રદ કરાવી શકાશે, તે પહેલા કે પછી રદ કરાવવા માટે સૌપ્રથમ લવાજમ ભરવાનું રહેશે, ત્યારબાદ જ રદ કરાવી શકાશે.


ઉપરોક્ત નિયમોમાં સમયાનુસાર અને સંજોગોનુસાર ફેરફાર ટ્રસ્ટી મંડળને આધીન રહેશે.

નિયમોનું પાલન ન કરનાર સામે કર્મચારી યોગ્ય પગલા લઇ શકે છે.

ખાસ નોધ : દરેક સભ્ય એ પુસ્તક ઇસ્યુ-રીટર્ન માટે ફરજીયાત આઈ-કાર્ડ લાવવાનું રહેશે.