૦૨૭૮ - ૨૪૨૮૪૩૮ સમય : મંગળ થી રવિ : સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૬:૩૦ સુધી [રવિવારે અડધો દિવસ]

બાર્ટન પુસ્તકાલયનો ઈતિહાસ

પુસ્તકાલયનો ઈતિહાસ ભાગ્યે જ લખાય છે. આપણા દેશમાં પુસ્તકાલયો વિશે એકસો ઉપર લેખો અને મોનોગ્રાફ લખાયા છે, પણ એ મળવા દુર્લભ છે. ભાવનગરની વાંચન ભૂખ સંતોષવા સ્વર્ગસ્થ દિવાન ગૌરીશંકર ઓઝાએ શ્રી છગનભાઈ દેસાઈ પુસ્તકાલયની સ્થાપના ઈ.સ. ૧૮૬૦માં કરી હતી. બાર્ટન પુસ્તકાલય આ નાની શરૂઆતનું મોટું વટવૃક્ષ છે.

ભાવનગરની બાર્ટન પુસ્તકાલયની વય કેટલી? ૧૨૫ વર્ષ કે ૧૫૦ વર્ષ ?બીજો આંકડો જ સાચો. ૧૫૦ વર્ષ. ૩૦ ડિસેમ્બર ઈ. સ. ૧૮૮૨ એ તેનો સ્થાપના દિવસ ગણાય છે. ઈ.સ. ૧૮૮૨ની ૩૦મી ડિસેમ્બરે ઉદ્ઘઘાટક મહારાજા તખ્તસિંહજી દ્વારા તે સમયના ભાવનગર રજવાડાના અંગ્રેજી પોલીટીકલ એજન્ટ કર્નલ એલ.સી. બાર્ટન ના નામે આ પુસ્તકાલય નામકરણ પામ્યું હતું.

આ મોટી સંસ્થા છગન પ્રસાદ દેસાઇ પુસ્તકાલય સાથે નજીકથી સંકળાયેલી છે અને ગુજરાતના સાંસ્કૃતિક નકશા પર વિશેષ દરજ્જો ધરાવે છે. શિક્ષણવિદો, સંશોધનકારો અને બૌદ્ધિક લોકો આ સંસ્થાને માહિતીનો ખજાનો માને છે. ...વધુ વાંચો

શા માટે બાર્ટન પુસ્તકાલય એ સૌરાષ્ટ્રનું પ્રથમ ક્રમાંક નું પુસ્તકાલય છે?

રાજ્યનો ઇતિહાસ બાર્ટન પુસ્તકાલય વિના અધૂરો છે અને ગુજરાતમાં પુસ્તકપ્રેમીઓ આ સંસ્થાને ભારતની સર્વશ્રેષ્ઠ રૂપે ઉભરીને જોવાની રાહમાં છે.

૦૧
પૌરાણિક સંસ્થા

બાર્ટન પુસ્તકાલય એ શહેરના સૌથી પ્રાચીન પુસ્તકાલયોમાંનું એક છે, જેણે રાજ્યમાં ખૂબ નામના મેળવી છે.

૦૨
ઓછું લવાજમ

સભ્યોને પુસ્તકાલયમાં જોડાવા માટે નજીવી રકમ ચૂકવવી પડે છે.

૦૩
દરેક પ્રકારના પુસ્તકોનો સમાવેશ

બાર્ટન પુસ્તકાલય ૮૮,૦૦૦ થી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે કે જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રજી, સંસ્કૃત , મરાઠી તેમજ કેટલીક હસ્તપ્રત પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

બાર્ટન પુસ્તકાલય ની વિશેષતાઓ

બાર્ટન પુસ્તકાલયની મુખ્ય વિશેષતા એ છે કે તે દરેક વર્ગના વ્યક્તિઓના વાંચનની ભૂખ સંતોષે છે જેમાં નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલોનો સમાવેશ થાય છે.

કેટલાક હસ્તપ્રત પુસ્તકો બાર્ટન પુસ્તકાલયની સુંદરતામાં વધારો કરે છે.

પુસ્તકાલય પાસે રહેલ હસ્તલિખિત અલભ્ય મેન્યુસ્ક્રિપ્ટ તેની સૌથી કિમતી અમાનત છે.

દુર્લભ પુસ્તકો પણ આ લાઈબ્રેરીમાં સચવાઈને રહેલા છે.

આ પુસ્તકો પુસ્તકાલયની શાન વધારે છે, કે જે વાંચવા માટે વ્યક્તિએ પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે.

હસ્તપ્રત પુસ્તકો

બાર્ટન પુસ્તકાલય અસંખ્ય પ્રખ્યાત લેખકોની નવલકથાઓ સંગ્રહ ધરાવે છે.

બાર્ટન પુસ્તકાલયમાં ખુબજ જુજ પ્રમાણમાં નવલકથાઓનો સંગ્રહ છે.

બાર્ટન પુસ્તકાલય માં “ગુજરાત નો નાથ”, “મધ્યબિંદુ” જેવી પ્રખ્યાત નવલકથાઓનો સમાવેશ થાય છે.

નવલકથાઓ

પવિત્ર ગ્રંથો નો સંગ્રહ

બાર્ટન પુસ્તકાલયમાં પવિત્ર ગ્રંથો જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, બાઈબલ, કુરાન વિગેરેનો સમાવેશ થાય છે.

પુસ્તકાલયમાં આવેલા ઘણા પવિત્ર ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.

પવિત્ર ગ્રંથો

બાળકોની પસંદગી

બાળકોને હંમેશા કાર્ટૂનના પુસ્તકો ગમતા હોય છે.

પુસ્તકાલય કેટલાક કાર્ટુનના પરિકલ્પના ધરાવતા પુસ્તકો પણ ધરાવે છે કે જે બાળકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે.

Comics

અસંખ્ય વાર્તા ના પુસ્તકો

વાર્તાના પુસ્તકો બાળકોને સમજણતા, વીરતા, બુદ્ધિમાની, વાક્ચાતુર્ય વિગેરેના પાઠ ભણાવે છે.

બાર્ટન પુસ્તકાલયમાં ખુબજ રસપ્રદ એવા ‘અકબર બીરબલ’, ‘પંચતંત્ર ની વાર્તાઓ’, ‘વિક્રમ વેતાલ’, ‘બકોર પટેલની વાર્તા’ વિગેરે જેવા અસંખ્ય પુસ્તકોનો સમાવેશ થાય છે.

Story Books

બાર્ટન પુસ્તકાલય દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો

Drawing Competition

ચિત્ર સ્પર્ધા

બાળકોનું ધ્યાન પુસ્તકાલય તરફ ખેંચવાના હેતુથી, બાર્ટન પુસ્તકાલય અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું કે જેમાં ધોરણ ૫ થી ૧૦ તેમજ ધોરણ ૧૧ થી ઉપરના એમ બે વર્ગમાં કુલ ૧૪૧ સ્પર્ધકોએ ભાગ લીધેલ.

  • આ સ્પર્ધામાં સ્પર્ધકોને ‘હેરીટેજ બાર્ટન પુસ્તકાલય’, ‘ભાવનગરની શાન’, ‘જળ એ જીવન’ એમ કુલ ત્રણ વિષયો આપવામાં આવેલ હતા.
  • આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના કુલ મળીને ૧૪૧ બાળકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધા દરમ્યાન તેમને કાગળ, પેન્સિલ, રબ્બર, અને એક બિસ્કીટનું પેકેટ સંસ્થા તરફથી દરેક વિદ્યાર્થીને આપવામાં આવ્યું હતું.
  • કાર્યક્રમ ને સફળ બનાવવાના હેતુથી ડૉ.અશોક પટેલ શ્રીમાન રાજેશ ગોહેલ, શ્રીમાન જયેશભાઈ જાદવ, શ્રીમાન ભરતભાઈ શિયાળ, શ્રીમતી નમ્રતાબેન પરીખ તેમજ શ્રીમાન કૌશિકભાઈ ગોહેલે જહેમત ઉઠાવેલ.

પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ રાધેશ્વર, મંત્રી શ્રી કૌશિકભાઈ તથા અન્ય કર્મચારી સભ્યોએ કાર્યક્રમ નું સફળ સંચાલન કરેલ.

Price Distribution

ઇનામ વિતરણ સમારોહ

બાર્ટન લાઈબ્રેરી દ્વારા આયોજિત ‘નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા’ ના ઇનામ વિતરણ નો સમારોહ શિશુવિહાર ખાતે યોજવામાં આવેલ.

  • આ સમારોહમાં લોકોએ “કિતાબે કુછ કહેતી હેં” વિષય પર ચર્ચા કરી હતી.
  • આ સમારોહ માં મેયર મનહરભાઈ મોરી, શ્રીમાન લક્ષ્મણભાઈ રાધેશ્વર, શ્રીમાન કૌશિકભાઈ ભટ્ટ, શ્રીમાન નલીનભાઈ ભટ્ટ, શ્રીમાન વિક્રમભાઈ ભટ્ટ તથા શ્રીમતી અંજનીબેન ઓઝા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
  • આ સમારોહ ના અંતે વિજેતાઓને ઈનામ અને સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રીમાન રમેશભાઈ ગોહિલ, ડૉ. અશોક પટેલ, પ્રો. ડૉ. મહેન્દ્રસિંહ પરમાર અને શ્રીમતી પારૂલબેન મહેતા નિર્ણાયકો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Kavi Sammelan

કવિ સંમેલન

બાર્ટન લાઈબ્રરેરી તથા હુન્નર, અહમદાવાદના સંયુક્ત ઉપક્રમે “યુવા કવિ સંમેલન” નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હુન્નર, અહમદાવાદ આયોજકની ભૂમિકા ભજવી હતી.

  • શ્રીમાન વિપુલ આચાર્ય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • શ્રીમતી હર્ષાબેન દવે આ કાર્યક્રમમાં સંચાલક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
  • કવિ હિમલ પંડ્યાએ “ જઈ જઈ ને ક્યાં જશો ” વિષય પર સુંદર કવિતા રજુ કરી હતી.
  • કવિ ડૉ. ફિરદોઝ દેખૈયા દ્વારા “હું છું સવાલ સહેલો” વિષય પર ગઝલ રજુ કરવામાં આવી હતી.
  • આ સંમેલનમાં શ્રીમાન વિજય રાજ્યગુરુ અને શ્રીમાન વિનોદ જોશી એ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

આ સમારોહના અંતમાં શ્રીમાન રાહુલ ઠક્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

સૂચન આપો

બાર્ટન પુસ્તકાલય વિષે પ્રતિસાદ આપવા બદલ અને તમારો અમુલ્ય સમય ફાળવવા બદલ અમે આપના ખુબ આભારી છીએ.

Loading
તમારો સંદેશો મોકલાઈ ગયો છે, આભાર !

સંચાલક સમિતિ

Mr. Laxmanbhai

શ્રી લક્ષ્મણદાસ વી. રાધેશ્વર

ઉદ્યોગપતિ અને રાજકીય નેતા
પ્રમુખ
Mr. Kaushikbhai Bhatt

શ્રી કૌશિકભાઈ આર. ભટ્ટ

નિવૃત નાયબ કલેકટર
મંત્રી
Mr. Hirenbhai Zala

શ્રી હિરેનભાઈ એન. ઝાલા

નિવૃત સહયોગી મેનેજર એક્સેલ ક્રોપ કેર લિમિટેડ.
ખજાનચી

Mr. Rajalbhai Oza

શ્રી રાજલભાઈ આર. ઓઝા

એલ.આઈ.સી ઓફિસર
સહ - ખજાનચી
Mr. Jayeshbhai Dave

શ્રી જયેશભાઈ જે. દવે

પત્રકાર
ટ્રસ્ટી
Mr. Jayeshbhai Dave

શ્રી ઉપેન્દ્રભાઈ એલ જોષી

એસ. બી. આઈ.
ટ્રસ્ટી





સરકારી સત્તાવાર ટ્રસ્ટીઓ



નિવાસી અધિક કલેકટર

ભાવનગર

નાયબ કલેકટર અને એસ.ડી.એમ.

ભાવનગર

જીલ્લા આયોજન અધિકારી

ભાવનગર




ભાવનગર મહાનગરપાલિકાના ત્રણ નગરસેવકો

Ms. Bhuvneshvarikumari

Ms. Bhuvneshvarikumari

Princess of Bhavnagar State and renouned Scholar of Heritage properties.

In the busy Bhavnagar market surrounded by shops chaos is Barton library. A historic structure, which was donated by the Maharaja of Bhavnagar to encourage reading thus creating a more aware and forward thinking State. Today, this heritage structure, welcomes you with warm polite staff and a cornucopia of books. The tall ceilings and naturally ventilated rooms make this a perfect place to leave all your worries and immerse yourself in reading. Barton library is an architectural marvel where books expand from historically rare, newspapers, archives and even present day best sellers. While there is lots that can be done to improve the structure and digitise the library I can’t think of a better place to read and research in the heart of a bustling city !

Mrs. Pushplata

Mrs. Pushplata

I.A.S.

Assistant Collector, Bhavnagar

Barton library is a prized possession of bhavnagar district. It provides a wide number of options to avid readers in hindi, English and gujarati language. Along with a good number of book collection library provides positive atmosphere to read these. Inspite of being an old infrastructure, library is well lit space and well managed. It provides immense pleasure to visit library during some spare moments from my busy schedule. I wish all the best to trustees and management committee to run this institution in similar manner and to take this legacy ahead.

Dr. Kirit R Bhatt

Dr. Kirit R Bhatt

Retd. Head of Hindi Department

Shamaldas College, Bhavnagar

I , now at the age of 76, can happily say with greatfulness that Barton Library played a pivotal role to make my life beautiful, successful and joyful. It shape my life right from my childhood to till date. It's a 'GOLDEN TREASURE' in real sense.

Barton Library

Dr. Firdaus Dekhaiya

Associate Professor

Government Medical College, Bhavnagar

Anthropologically the success, achievements, and profundity of any culture are determined by its heritage reverberating throughout the time in the form of ethos and chutzpah bequeathed to posterity and that hallowed legacy must be treasured and cared in commemoration of that glorious past! History is a hoary witness to the traditional manner of passing this wisdom in the form of volumes of books, codices, and scrolls collated in places called bibliotheca for centuries in various cultures throughout the human evolution. With the sense of utmost pride, I would beg to state that the "Barton Library" which is towering above all the monuments of Bhavnagar city has served no lesser role in satisfying the intellectual and cultural thirst of students, amateurs, and experts alike in showering them with the wisdom of the old since its Inception almost before the 150 years! It is my earnest wish and a strong belief that it would continue to serve as the beacon of knowledge, hope, and wisdom for generations to come.

અમારો સંપર્ક કરો

બાર્ટન પુસ્તકાલય, દિવાનપરા રોડ, ભાવનગર, ગુજરાત, ભારત ૩૬૪૦૦૧

સ્થળ:

બાર્ટન પુસ્તકાલય
દિવાનપરા રોડ, ભાવનગર, ગુજરાત, ભારત ૩૬૪૦૦૧

સમય:

મંગળ થી રવિ:
સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦
બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૬:૩૦
[રવિવારે અડધો દિવસ]

ઈ-મેઈલ:

barton.bhavnagar@gmail.com

ફોન નંબર:

+૯૧ ૨૭૮-૨૪૨૮૪૩૮

Loading
Your message has been sent. Thank you!